દેશ ને હવે એક નવા માળખા ની જરૂર છે.પંચાયતી રાજ પછી 
હવે દેશ ને બુથ માં વેંહચવામાં આવે તો ખૂબ સરળતા થી વ્યવસ્થા  થઈ શકે .

બીજું છે વિધાનસભા પ્રમાણે વ્યવસ્થાપન 
હાલ માં વસ્તી પ્રમાણે મેટ્રો ,મોટું શહેર ,નાનું શહેર ,ગામ એ પ્રમાણે અલગ અલગ વ્યવસ્થા છે .
એ આટલી બધી અલગ અલગ વ્યવસ્થા ને કારણે ખૂબ જટિલ સિસ્ટમ બને છે ને તેમાં ભ્રષ્ટાચાર કરવો સરળ બને છે .

જો આ દેશ ની દરેક વ્યવસ્થા ને વિધાનસભા પ્રમાણે કરવામાં આવે તો દેશ માં 4000 જેટલી સંસ્થાઓ બને જેમાં દરેક વ્યવસ્થા એક જ જગ્યા એ કરવામાં આવે. દાખલા તરીકે તે વિધાનસભા ના એક ક્લેક્ટર એક sp જે જિલ્લા ની વ્યસ્વ્થા છે તે વિધાનસભા લેવલ પર લાગુ કરવામાં આવે. 

આમ કરવાથી દેશ ની તિજોરી પર નવા 15000 જેટલા IAS IPS ની પગાર  નું ભારણ વધશે પરંતુ તેના કારણે સિસ્ટમ ખૂબ સરળ બનશે અને સરળ સિસ્ટમ નું મોનિટરિંગ સરળ બનશે. 
હાલ માં જે તાલુકા નું માળખુ છે તેને વિધાનસભા પર લાગુ કરવું જોઈએ આટલી જટિલ બધી વ્યવસ્થાઓ છે. 
દેશ માં ફક્ત 4000 વિધાનસભા એ વિધાનસભા ની વ્યવસ્થાપન સમિતિ આ સમિતિ નું કામ સુરક્ષા, નળ ,ગટર,સફાઈ  ,પાણી , શિક્ષણ ,સ્વાસ્થ્ય નું હોય  

એક વ્યક્તિ દ્વારા કોઈ પણ રીતે બીજા વ્યક્તિ ને તકલીફ ન પડે બસ આટલુજ સંવિધાન હોવું જોઈએ જેથી જે જટિલ બંધારણ છે તેનો ગેરલાભ લોકો ન ઉઠાવે 



દરેક વિધાનસભા પ્રમાણે 50 આર્મી જવાનો ની ટુકડી જે ફક્ત વિધાનસભા માં ચાલતી પ્રવૃત્તિ વિશે નોંધ લે સાથે અસામાજિક તત્વો નું લિસ્ટ બનાવે અને આર્મી જે લોકો ના નામ મોકલે તે લોકો એ આર્મી ની ટ્રેઇનિંગ લેવી ફરજીયાત.સાથે તે વિસ્તાર માં ભયમુક્ત વાતાવરણ બનાવે .

2 લાખ જવાનો ની જરૂર પડે 
સાથે 12 લાખ જેટલા બુથ માં દેશ નું મેપિંગ કરવામાં આવે.
તે દરેક બુથ નો એક બુથ પ્રમુખ 
10 બુથ સમિતિ નો એક સમિતિ પ્રમુખ 
ને આવી 30 સમિતિ ધારાસભ્ય સાથે સંપર્ક માં રહે 

દેશ ની મોટા ભાગ ની જમીન  બિન ખેતી છે અને ઉપયોગ માં નથી તેને સરકાર હસ્તક કરવી જોઈએ 

આઝાદી પછી નેતાઓ ની આજ સુધી ની કમાણી નું ઓડિટ 
મલ્ટી નેશનલ કમ્પની ની જગ્યા એ બુથ લેવલ પર કાચો માલ પૂરો પાડી રોજગારી ની તકો વધારવી 

રસ્તે રખડતા પ્રાણીઓ માટે પણ શેલ્ટર હોમ 
ભૂખમરા માટે દરેક વિધાનસભા પ્રમાણે એક કેન્ટીન ની વ્યવસ્થા કરવામાં આવે જ્યાં 2 ટાઈમ નું ભોજન સૌ ને પોસાય તેવા ભાવ થી મળી રહે લોકો ઈચ્છે તો ત્યાં અનાજ નું દાન કરી શકે 
દેશ માં ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવામાં આવે 
દેશ માં 5 લાખ ઘર નું નિર્માણ કરવાથી ઘર વિહોણા 20 લાખ લોકો ને ઘર નું ઘર મળે જેથી કોઈ રસ્તા પર ન રહે 

શહેર માં સ્થળાંતર કરતાં પહેલા ભાડા કરાર અથવા રહેઠાણ ની વ્યવસ્થા નું સર્ટિફિકેટ આપવામાં આવે જેથી ગામડે થી લાવી લોકો નું શોષણ ન કરવામાં આવે અને એ લોકો જુંપડા માં રહેવા મજબૂર ન બને 
વસ્તી વધારા મુદ્દે પણ કડક પગલાં લેવા જોઈએ 
આધ્યાત્મ ને દેશ ના રોજિંદા જીવન નો ભાગ બનાવવું ધ્યાન ને દરેક અભ્યાસક્રમ માં ફરજિયાત બનાવવું 


  અનુજ દેવલૂક